Latest Blog
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અમૂલફેડ ડેરીન આધુનિકતમ સુવિધાઓથી સજ્જ દૈનિક 150 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા મિલ્ક પાવડર પ્લાન્ટ, બટર પ્લાન્ટ, પેકેજિંગ ફિલ્મ પ્લાન્ટ તથા ઓટોમેટિક રોબોટિક સ્ટોરેજ અને રિટ્રાઇવલ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે અમૂલને દૂધ પૂરું પાડનારી સૌથી મોટી દૂધ ઉત્પાદક પ્રગતિશીલ મહિલાઓને સન્માનિત પણ કરીદેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં જ આ મોડેલને પારખી લીધુ હતું…
ડૉ. મનસુખ માંડવિયાએ પ્રધાનમંત્રીના ‘હર ઘર દસ્તક’ અભિયાનને વધુ મજબૂત બનાવવા અંગે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ચર્ચા કરી
“દેશમાં કોવિડ-19ની રસી લેવા માટે પાત્રતા ધરાવતા એકપણ નાગરિક રસીના ‘સુરક્ષા કવચ’થી વંચિત ના રહી જાય તે માટે ચાલો સૌ સાથે મળીને સહકારપૂર્ણ અને બહુ-હિતધારક પ્રયાસો દ્વારા સંયુક્ત રીતે સૌનું રસીકરણ સુનિશ્ચિત કરીએ. ચાલો, દેશના…
સુદર્શન ભારત પરિક્રમા અંતર્ગત એનએસજી દ્વારા ભારતની વિશાળ કાર રેલીનું અમદાવાદમાં સ્વાગત
નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી)ને સુદર્શન ભારત પરિક્રમા અંતર્ગત "ભારતની વિશાળ કાર રેલી"નું આયોજન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જે અંતર્ગત બીજી ઓક્ટોબરના રોજ દિલ્હીથી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આ રેલીને પ્રસ્થાન કરાવી હતી. જુદા જુદા રાજ્યોમાં ફરીને બ્લેક કેટ કાર રેલી બુધવારના રોજ અમદાવાદ ખાતે આવી પહોંચી હતી. મેઘાણીનગરમાં આવેલા એનએસજીના હબ ખાતે કાર રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલીનો ઉદ્દેશ આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવી, અખંડ ભાઈચારા અને દેશભક્તિના સંદેશ સાથે આઝાદીની લડતના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે વાર્તાલાપ કરવો અને દેશવાસીઓમાં દેશભક્તિ અને ભાઈચારાની ભાવનાને ફરી જાગૃત કરવાનો છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે સંકળાયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સાથે આ રેલી 12 રાજ્યોના 18 શહેરોમાંથી પસાર થઈ છે. આઝાદીનાં 75 વર્ષ નિમિત્તે 7500 કિલોમીટરની આ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદ આવી પહોંચેલી રેલીનું નિવૃત્ત એનએસજીના ડાયરેક્ટર જનરલ એ. કે. સીંગે સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નેશનલ સિક્યુરિટી ગાર્ડ દેશની શાન છે. મને ગર્વ છે કે એનએસજીને નેતૃત્વ કરવાની તક મળી હતી. કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનએસજીના કમાન્ડો તૈયાર હોય છે અને તે દેશનું સર્વશ્રેષ્ઠ આંતકવાદ વિરોધી દળ છેગુજરાત એનએસજીના ગ્રુપ કમાન્ડર જયરામ સિંઘે જણાવ્યું હતું કે એનએસજી બ્લેકકેટ કાર રેલી આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે આઝાદીની ચળવળના ઐતિહાસિક સાક્ષી રહેલા સ્થળોની મુલાકાત લઈને અમૃત મહોત્સવને ઊજવી રહી છે. એનએસજી કમાન્ડો કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર હોય છે.એનએસજી બ્લેકકેટ કાર રેલીનું નેતૃત્વ કરનારા કર્નલ ઓએસ રાઠોરે જણાવ્યું હતું કે મને ગર્વ છે કે સુદર્શન ભારત પરિક્રમા બ્લેકેટ કાર રેલીનું નેતૃત્વ કરવા મળ્યું છે. જુદા જુદા એનએસજી યુનિટમાંથી સૌથી શ્રેષ્ઠ કમાન્ડોને પસંદ કરીને આ રેલીમાં સામેલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં અમારું ભવ્ય સ્વાગત થયું, લોકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે, ગ્રીન કોરિડોરથી અમને લાવવામાં આવ્યા છે.એનએસજી કાર રેલીમાં 12 અધિકારીઓ, 2 જુનિયર કમિશન્ડ ઓફિસર અને 25 કમાન્ડો સહિત કુલ 49 કર્મચારીઓ જોડાયા છે.આ રેલી વારાણસી, બોધગયા, બહેરામપુર, વિશાખાપટ્ટનમ, વિજયવાડા, હૈદરાબાદ, કોલકાતા, જમદેશપુર, ચેન્નઈ, ભુજપુર, હુબલપુર, ચેન્નાઇ, મુંબઈથી અમદાવાદ આવી પહોંચી હતી. આજે રેલી અમદાવાદથી જયપુર થઈ 30 તારીખે નવી દિલ્હી પહોંચશે. 30 ઑક્ટોબર, 2021ના રોજ રાષ્ટ્રીય પોલીસ સ્મારક, ચાણક્યપુરી, નવી દિલ્હી ખાતે ધ્વજવંદન કરશે.
કોરોનાના 425 મૃતકના અંતિમ સંસ્કાર કરનાર ઉદ્યોગપતિને દંડીય વંદન. – સાધુસંતના આશિર્વાદ બ્રહ્મ વાક્ય બન્યું-સ્મશાનમાં જ વૈરાગ્ય જાગ્યો.
વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોવીડ-19 ના મ્રુતકોની લાશોને લોહીના સંબંધ ધરાવતા પરિવારજનો જ ત્યજી દઈ ફરાર થઈ જતા હતા…લોકોના માનશમાં મોતનો ભયાનક ખોફનાક ડર છવાયો હતો…તેવા સમયે RSS ના સમર્પિત કાર્યકર અને જાણીતા ઉધ્યોગપતિએ સ્મશાનમાં પહોંચી…
આઝાદીનાં અમૃત મહોત્સવનું પાવન પર્વ ભારતનાં જન-જનનું અને દરેકનાં મનનું પર્વ બને તેવો આશાવાદ સેવતા ગુજરાતનાં આદિજાતી વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલ
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા આવેલ સશસ્ત્ર દળનાં જવાનોનો કેવડીયા ખાતે ગુજરાત પોલીસ દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા આવેલ સશસ્ત્ર દળનાં જવાનોનો કેવડીયા ખાતે ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતનાં…
શંખેશ્વર તીર્થે પાટણ જિલ્લા પ્રમુખ ભાનુમતીબેન મકવાણાએ જૈન મુનિશ્રીના આશીર્વાદ ગ્રહણ કરેલ.
ઉત્તર ગુજરાત ની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થે શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટના પ્રાંગણે પાટણ જિલ્લા પ્રમુખ શ્રીમતિ ભાનુમતીબેન વી મકવાણાએ જૈન મુનિશ્રીના આશીર્વાદ ગ્રહણ કરેલ.આ પ્રસંગે જંગમરત્ન તીર્થ પ્રેરક,માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રી રત્નશેખરસૂરિશ્વરજી…
પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થઈએ અને ભારતીય જીવનશૈલી અપનાવીને નિરોગી રહીએ –રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠ ખાતે ૩૦માં યુનિવર્સલ હીલિંગ દિવસના ઉજવણી પ્રસંગે મહાત્મા ગાંધીજીના શુદ્ધ અને સાત્વિક જીવનશૈલીને યાદ કરી હતી,તેમણે જણાવ્યું હતુ કે, ગાંધીજીનું જીવન એ વ્યાપક દ્રષ્ટિએ ચિંતન વાળું હતું અને તેઓ…
ગુજરાતમાં બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતો દ્વારાવીજળી ઉત્પન્ન કરતા ૧૪૯૬૩ મેગાવોટની ક્ષમતાના પ્રોજેક્ટસ કાર્યરત
વર્તમાન સમયમાં વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિને પહોંચી વળવા બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતોની મહત્વતા વધતી જાય છે. આ સંદર્ભે ગુજરાત સરકારે બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતો પર સવિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. જે અંતર્ગત રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી…
ચારીત્ર્યવાન નાગરીકોના ઘડતરમાં પ્રેરણાત્મક પુસ્તકોનું વાંચન મહત્વપૂર્ણ- લોકસભાના સાંસદશ્રીમતી શારદાબેન પટેલ
જિલ્લા પુસ્તકાલય ખાતે આઝાદી અને સ્વાતંત્ર્ય સ્વાતંત્ર્ય સંગ્રામના સાહિત્યનું પ્રદર્શન યોજાયું સમગ્ર ભારત દેશમાં આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગ્રંથાલય…










