સુદર્શન ભારત પરિક્રમા અંતર્ગત એનએસજી દ્વારા ભારતની વિશાળ કાર રેલીનું અમદાવાદમાં સ્વાગત
બ્રેકીંગ ન્યૂઝ

સુદર્શન ભારત પરિક્રમા અંતર્ગત એનએસજી દ્વારા ભારતની વિશાળ કાર રેલીનું અમદાવાદમાં સ્વાગત

નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી)ને સુદર્શન ભારત પરિક્રમા અંતર્ગત "ભારતની વિશાળ કાર રેલી"નું આયોજન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જે અંતર્ગત બીજી ઓક્ટોબરના રોજ દિલ્હીથી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આ રેલીને પ્રસ્થાન કરાવી હતી. જુદા જુદા રાજ્યોમાં ફરીને બ્લેક કેટ કાર રેલી  બુધવારના રોજ અમદાવાદ ખાતે આવી પહોંચી હતી. મેઘાણીનગરમાં આવેલા એનએસજીના હબ ખાતે કાર રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલીનો ઉદ્દેશ આઝાદી  કા  અમૃત  મહોત્સવ’  તરીકે  આઝાદીના  75 વર્ષની  ઉજવણી કરવી,  અખંડ ભાઈચારા અને દેશભક્તિના સંદેશ સાથે આઝાદીની લડતના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે વાર્તાલાપ કરવો અને દેશવાસીઓમાં દેશભક્તિ અને ભાઈચારાની ભાવનાને ફરી જાગૃત કરવાનો છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે સંકળાયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સાથે આ રેલી 12 રાજ્યોના 18 શહેરોમાંથી પસાર થઈ છે. આઝાદીનાં 75 વર્ષ નિમિત્તે 7500 કિલોમીટરની આ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદ આવી પહોંચેલી રેલીનું નિવૃત્ત એનએસજીના ડાયરેક્ટર જનરલ એ. કે. સીંગે સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નેશનલ સિક્યુરિટી ગાર્ડ દેશની શાન છે. મને ગર્વ છે કે એનએસજીને નેતૃત્વ કરવાની તક મળી હતી. કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનએસજીના કમાન્ડો તૈયાર હોય છે અને તે દેશનું સર્વશ્રેષ્ઠ આંતકવાદ વિરોધી દળ છેગુજરાત એનએસજીના ગ્રુપ કમાન્ડર જયરામ સિંઘે જણાવ્યું હતું કે એનએસજી બ્લેકકેટ કાર રેલી આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે આઝાદીની ચળવળના ઐતિહાસિક સાક્ષી રહેલા સ્થળોની મુલાકાત લઈને અમૃત મહોત્સવને ઊજવી રહી છે. એનએસજી કમાન્ડો કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર હોય છે.એનએસજી બ્લેકકેટ કાર રેલીનું નેતૃત્વ કરનારા કર્નલ ઓએસ રાઠોરે જણાવ્યું હતું કે મને ગર્વ છે કે સુદર્શન ભારત પરિક્રમા બ્લેકેટ કાર રેલીનું નેતૃત્વ કરવા મળ્યું છે. જુદા જુદા એનએસજી યુનિટમાંથી સૌથી શ્રેષ્ઠ કમાન્ડોને પસંદ કરીને આ રેલીમાં સામેલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં અમારું ભવ્ય સ્વાગત થયું, લોકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે, ગ્રીન કોરિડોરથી અમને લાવવામાં આવ્યા છે.એનએસજી કાર રેલીમાં 12 અધિકારીઓ, 2 જુનિયર  કમિશન્ડ ઓફિસર અને 25 કમાન્ડો  સહિત કુલ 49 કર્મચારીઓ  જોડાયા છે.આ રેલી વારાણસી,  બોધગયા,  બહેરામપુર, વિશાખાપટ્ટનમ, વિજયવાડા, હૈદરાબાદ, કોલકાતા,  જમદેશપુર, ચેન્નઈ, ભુજપુર, હુબલપુર, ચેન્નાઇ, મુંબઈથી અમદાવાદ આવી પહોંચી હતી. આજે રેલી અમદાવાદથી  જયપુર થઈ 30 તારીખે નવી દિલ્હી પહોંચશે. 30 ઑક્ટોબર, 2021ના રોજ રાષ્ટ્રીય  પોલીસ સ્મારક, ચાણક્યપુરી,  નવી દિલ્હી ખાતે ધ્વજવંદન કરશે.

કોરોનાના 425 મૃતકના અંતિમ સંસ્કાર કરનાર ઉદ્યોગપતિને દંડીય વંદન. – સાધુસંતના આશિર્વાદ બ્રહ્મ વાક્ય બન્યું-સ્મશાનમાં જ વૈરાગ્ય જાગ્યો.
સમાચાર

કોરોનાના 425 મૃતકના અંતિમ સંસ્કાર કરનાર ઉદ્યોગપતિને દંડીય વંદન. – સાધુસંતના આશિર્વાદ બ્રહ્મ વાક્ય બન્યું-સ્મશાનમાં જ વૈરાગ્ય જાગ્યો.

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોવીડ-19 ના મ્રુતકોની લાશોને લોહીના સંબંધ ધરાવતા પરિવારજનો જ ત્યજી દઈ ફરાર થઈ જતા હતા…લોકોના માનશમાં મોતનો ભયાનક ખોફનાક ડર છવાયો હતો…તેવા સમયે RSS ના સમર્પિત કાર્યકર અને જાણીતા ઉધ્યોગપતિએ સ્મશાનમાં પહોંચી…

આઝાદીનાં અમૃત મહોત્સવનું પાવન પર્વ ભારતનાં જન-જનનું અને દરેકનાં મનનું પર્વ બને તેવો આશાવાદ સેવતા ગુજરાતનાં આદિજાતી વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલ
સમાચાર

આઝાદીનાં અમૃત મહોત્સવનું પાવન પર્વ ભારતનાં જન-જનનું અને દરેકનાં મનનું પર્વ બને તેવો આશાવાદ સેવતા ગુજરાતનાં આદિજાતી વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલ

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા આવેલ સશસ્ત્ર દળનાં જવાનોનો કેવડીયા ખાતે ગુજરાત પોલીસ દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા આવેલ સશસ્ત્ર દળનાં જવાનોનો કેવડીયા ખાતે ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતનાં…

શંખેશ્વર તીર્થે પાટણ જિલ્લા પ્રમુખ ભાનુમતીબેન મકવાણાએ જૈન મુનિશ્રીના આશીર્વાદ ગ્રહણ કરેલ.
સમાચાર

શંખેશ્વર તીર્થે પાટણ જિલ્લા પ્રમુખ ભાનુમતીબેન મકવાણાએ જૈન મુનિશ્રીના આશીર્વાદ ગ્રહણ કરેલ.

ઉત્તર ગુજરાત ની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થે શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટના પ્રાંગણે પાટણ જિલ્લા પ્રમુખ શ્રીમતિ ભાનુમતીબેન વી મકવાણાએ જૈન મુનિશ્રીના આશીર્વાદ ગ્રહણ કરેલ.આ પ્રસંગે જંગમરત્ન તીર્થ પ્રેરક,માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રી રત્નશેખરસૂરિશ્વરજી…

પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થઈએ અને ભારતીય જીવનશૈલી અપનાવીને નિરોગી રહીએ –રાજ્યપાલશ્રી  આચાર્ય દેવવ્રતજી
બ્રેકીંગ ન્યૂઝ

પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થઈએ અને ભારતીય જીવનશૈલી અપનાવીને નિરોગી રહીએ –રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

 ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠ ખાતે ૩૦માં યુનિવર્સલ હીલિંગ દિવસના  ઉજવણી પ્રસંગે મહાત્મા ગાંધીજીના શુદ્ધ અને  સાત્વિક જીવનશૈલીને યાદ કરી હતી,તેમણે જણાવ્યું હતુ કે,  ગાંધીજીનું જીવન એ વ્યાપક દ્રષ્ટિએ ચિંતન વાળું હતું અને તેઓ…

ગુજરાતમાં બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતો દ્વારાવીજળી ઉત્પન્ન કરતા ૧૪૯૬૩ મેગાવોટની ક્ષમતાના પ્રોજેક્ટસ કાર્યરત
પર્યાવરણ સમાચાર

ગુજરાતમાં બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતો દ્વારાવીજળી ઉત્પન્ન કરતા ૧૪૯૬૩ મેગાવોટની ક્ષમતાના પ્રોજેક્ટસ કાર્યરત

વર્તમાન સમયમાં વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિને પહોંચી વળવા બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતોની મહત્વતા વધતી જાય છે. આ સંદર્ભે ગુજરાત સરકારે બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતો પર સવિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. જે અંતર્ગત રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી…

ચારીત્ર્યવાન નાગરીકોના ઘડતરમાં પ્રેરણાત્મક પુસ્તકોનું વાંચન મહત્વપૂર્ણ- લોકસભાના સાંસદશ્રીમતી શારદાબેન પટેલ
સમાચાર

ચારીત્ર્યવાન નાગરીકોના ઘડતરમાં પ્રેરણાત્મક પુસ્તકોનું વાંચન મહત્વપૂર્ણ- લોકસભાના સાંસદશ્રીમતી શારદાબેન પટેલ

જિલ્લા પુસ્તકાલય ખાતે આઝાદી અને સ્વાતંત્ર્ય સ્વાતંત્ર્ય સંગ્રામના સાહિત્યનું પ્રદર્શન યોજાયું સમગ્ર ભારત દેશમાં આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગ્રંથાલય…

કેવડિયામાં સર્જાયો રાષ્ટ્ર ભાવનાને બળવત્તર કરતો રાષ્ટ્રભક્તિનો અનોખો માહોલ
પર્યાવરણ સમાચાર

કેવડિયામાં સર્જાયો રાષ્ટ્ર ભાવનાને બળવત્તર કરતો રાષ્ટ્રભક્તિનો અનોખો માહોલ

કેવડિયામાં "રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી" ના ભાગરૂપે દેશની ચારે દિશાઓમાંથી વિવિધ સુરક્ષા દળના જવાનોની બાઈક-સાયકલ રેલીઓનું ગુજરાત પોલીસ દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત રાજપીપલા, મંગળવાર:- લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ…

રાજયમા ઓવર સ્પીડના કારણે બનતા અકસ્માતોને અટકાવવા આધુનિક સાધનોથી સજ્જ રડાર સ્પીડ ગન સાથે ઇન્ટરસેપ્ટર વાનનો નવતર અભિગમઃ ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવી
બ્રેકીંગ ન્યૂઝ

રાજયમા ઓવર સ્પીડના કારણે બનતા અકસ્માતોને અટકાવવા આધુનિક સાધનોથી સજ્જ રડાર સ્પીડ ગન સાથે ઇન્ટરસેપ્ટર વાનનો નવતર અભિગમઃ ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવી

ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ હેઠળ ગુજરાત પોલીસને અર્પણ કરવામાં આવેલા  ૪૮ ઇન્ટરસેપ્ટર વાહનો અને અકસ્માત સમયે ફર્સ્ટ રીસ્પોન્સ વ્હીકલ – રેસ્કયુ વ્હીકલ ૪૨ હાઇવે પેટ્રોલ વાહનોનું પ્રસ્થાન કરાવતા ગૃહ રાજય મંત્રીશ્રી ગૃહ વિભાગ દ્વારા ગુજરાત…

સેકટર-૨૧ ગાંધીનગર ખાતે રાજકોટ નાગરિક સહકારી બેંકના નવીન ભવનનું ઉદઘાટન કરાયું
માનવ અધિકાર

સેકટર-૨૧ ગાંધીનગર ખાતે રાજકોટ નાગરિક સહકારી બેંકના નવીન ભવનનું ઉદઘાટન કરાયું

નવીન ભવનના પ્રારંભથી બેંકના ગ્રાહકને લોકર સહિત  વધુ સારી-ઝડપી સુવિધા ઉપલબ્ધ થશે રાજકોટ નાગરિક સહકારી બેંક લી. ગાંધીનગર શાખાનો સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય સંતોના હસ્તે પોતાના નવીન ભવનનો સેક્ટર-૨૧ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. પૂજ્ય સંતગણશ્રીએ…