
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વન્યજીવ દિવસ નિમિત્તે વન્યજીવોના સંરક્ષણ માટે કાર્ય કરી રહેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “#WorldWildlifeDay પર હું વન્યજીવોના સંરક્ષણ માટે કાર્ય કરી રહેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું. સિંહો, વાઘ કે ચિત્તો હોય ભારતમાં વિવિધ પ્રાણીઓની વસ્તીમાં સતત વધારો થઇ રહ્યો છે. આપણે આપણા જંગલોની સુરક્ષા અને પ્રાણીઓ માટે સલામત રહેઠાણો સુનિશ્ચિત કરવા શક્ય તમામ પ્રયત્નો કરવા જોઈએ.
