સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરજ બજાવનાર અધિકારી/કર્માચારીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

ગીર સોમનાથ જિલ્લામાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની યોજાયેલ ચૂંટણીમાં ફરજ બજાવનાર અધિકારી/કર્મચારીઓને પ્રશંસનિય પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશ, અધિક કલેકટરશ્રી એસ.જે.ખાચર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રજાપતિના હસ્તે અધિકારી/કર્મચારીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

   આ પ્રસંગે કલેકટરશ્રી અજયપ્રકાશે જણાવ્યું હતું કે, તાજેતરમાં યોજાયેલ ગીર સોમનાથ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અધિકારીઓ અને કર્મચારીઓને તેમની નિષ્ડાપુર્વક ફરજ બજાવવાના પરિણામે કોઈપણ પ્રકારનો પ્રશ્ર્ન ઉદભવ્યો ન હતો. અને ચૂંટણી શાંતિપુર્ણ માહોલમાં સપન્ન થઈ હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવનાર તમામ અધિકારી અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

સમાચાર