અરવલ્લી એસપી દ્વારા દરરોજ ટાર્ગેટ આપવામાં આવે છે તે પૂરો કરવા શામળાજી પોલીસે 30 ઉપરાંત બાઈકો ડીડેન કરતા જનતા માં રોષ

અરવલ્લી જિલ્લા પોલીસવડા નિર્ણય ફેરફાર કરી ખોટા ટાર્ગેટ નહિ આપે અને જનતા ની મુશ્કેલીઓ સમજે તે આજના સમયમાં તાતી જરૂરિયાત છે

આદિવાસી અને ગરીબ જનતા ને છેલ્લા દોઢેક વર્ષ થી કોરોના મહામારીનો સામનો કરી રહી એક તરફ મોંઘવારી નો માર અને બીજી તરફ કોરોના મહામારી ના કારણે ધધાં રોજગાર અને નોકરીઓ છૂટી ગઈ છે ત્યારે નાના વાહન ચાલકો ને વાહનો ડિટેઈન કરી દંડ ની રકમો ભરાવતાં જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે સરકારે કોરોના મહામારીમાં નાના વાહનો વાળા નેં પેટ્રોલ પુરાવાના પણ રુપિયા હોતાં નથી અને દંડ ની રકમ ક્યાંથી ભરે કોરોના મહામારીમાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે લોકો પાસે પૈસા નથી પેટ્રોલ નાં ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે નાના માણસો પાસે આવવા જવા માટે ગામડાં ની જનતા પાસે બાઇક જેવું નાનું સાધન હોય છે કોઈ કામ માટે આ બાઇક પર જઇ ને ધર નું સામાન લાવતો હોય છે અને નોકરી એ આવવા માટે બાઇક નો ઉપીયોગ કરતા હોય છે ગામડામાં જતી બસો બંધ છે તો આમ જનતા શું કરે કોરોના મહામારીમાં નાના માણસો નું બે ટંક ભોજન પણ પુરતાં પ્રમાણમાં મળતું નથી પેટ્રોલ નાં ભાવ પણ કુદકેને ભુસકે વધી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા પોલીસને ટાર્ગેટ આપીને બાઇક ચાલક નેં મેમાં આપવામાં આવે છે 1000.00 જેવી રકમ આવી મહામારીમાં કેવી રીતે ભરે શામળાજી પોલીસે 30 ઉપરાંત બાઈકો ડીડેન કરી છે પોલીસ સ્ટેશન માં જગ્યા પણ નથી આમ જનતા ની માંગણી છે કે કોરોના મહામારીમાં નાના માણસો ને સરકાર હેરાનપરેશાન કરવાનું બંધ કરે તેવી આમ જનતા ની માંગણી છે અને સરકાર દ્વારા આ ડિટેઈન વાહનોનો  દંડ માફ કરવામાં આવે તેવી  આમ જનતા ની માંગણી છે

રિપોર્ટ મહેન્દ્ર પ્રસાદ અરવલ્લી

ક્રાઇમ ડાયરી