ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય પ્રશિક્ષણ વિભાગ તેમજ પ્રદેશ નેતૃત્વ ના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ શ્રી સી.આર .પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત અને તાપી જિલ્લાનો ત્રી દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો છે. જેમાં સુરત જિલ્લાના અપેક્ષિત 175 પ્રશિક્ષકો એ ઉત્સાહ પૂર્વક હાજરી આપી હતી

સુરત જિલ્લા ભાજપ પ્રભારી ભરતભાઇ રાઠોડ,દક્ષિણ ઝોન પ્રશિક્ષણ પ્રભારી પ્રફફૂલભાઈ પાનસૂરિયા, અશોકભાઈ ધોરજીયા,પાર્ટી પ્રમુખ સંદીપભાઈ દેસાઈ,મહામંત્રીઓ યોગેશભાઈ, જગદીશભાઈ, દીપકભાઈ,સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ,પ્રદેશ કારોબારી સભ્ય માનસિંહભાઈ પટેલ,નરેશભાઈ પટેલ,ધારાસભ્ય શ્રીઓ ઈશ્વરભાઈ પરમાર,મોહનભાઇ ધોડિયા,વગેરે વક્તાઓએ સંઘનાત્મક પ્રશિક્ષણ પૂરું પાડ્યું હતું. આ પ્રશિક્ષણ વર્ગના દ્વિતીય દિવસે વિવિધ વિષયો પર પ્રદેશ નેતૃત્વ દ્વારા નિમાયેલા વકતાશ્રીઓ એ ઉપસ્થિત રહી સૌ અપેક્ષિત શ્રેણી ના કાર્યકરોઓને વિગતવાર માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.બીજા દિવસે પ્રથમ સત્રમાં વક્તા શ્રી પ્રફફૂલભાઈ પાનસેરિયા ,જનકભાઈ બગદાણા વાળા,સ્મિતલ પંડિત,ડો જગદીશભાઈ પટેલ,રાજેશભાઈ દેસાઈ,સુષ્માબેન અગ્રવાલ,આશાબેન દવે સુરત અને તાપી જિલ્લા ના તમામ સત્રો માં વક્તા અને ઉપસ્થિત કાર્યકર્તાઓએ વિવિધ વિષયો પર પરસ્પર સંવાદ કર્યો હતો. આ પ્રશિક્ષણ વર્ગ તા 27 ઓક્ટોબર 2021 ના રોજ બપોર સુધી ચાલશે.

સમાચાર