
ડોકટરને ભગવાનનું બીજું બિરુદ આપવામાં આવ્યું છે, કોરોના મહામારીમાં જે સ્પષ્ટ દેખાયું પણ હતું. નેશનલ હાઇવે પર આવેલ ગાંભોઇ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે જેમાં રોજ બરોજ એક્સિડન્ટ, તાવ વગેરે બીમારી પીડિત વ્યક્તિ આવતા હોય છે સરકાર દ્વારા કોરોના સમયમાં આયશોલેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે આવા સમયે ત્યાંના ડૉકટર નિલેશભાઈ ખત્રી કે જે દિવસ રાત જોયા વગર દર્દીની સેવામાં તત્પર હોય છે, ડોક્ટર ડે ની ઉજવણી કરી ત્યાંના કર્મચારી અને ડૉકટરને શુભેચ્છા પાઠવી હતી.
