૧૦૮ની સેવાની કામગીરીનો રિવ્યુ કર્યા બાદ નીતિન પટેલે અધિકારીયોની કાઢી ઝાટકણી

રાજ્યમાં દીવાળી બાદ કોરોનાએ ઉથલો માર્યો છે. જેને લઇને તંત્ર સજાગ થઇ ગયું છે આ વચ્ચે ડે.સીએમ નીતિન પટેલે ૧૦૮ની સેવાની કામગીરીનો રિવ્યુ કર્યો હતો. જે બાદ નીતિન પટેલે ૧૦૮ના અધિકારીઓની ઝાટકણી કાઢી છે. તે સિવાય ખાનગીમાં રિપોર્ટ કરાવતા દર્દીઓ મુદ્દે ઉધડો લીધો છે અને કહ્યું છે કે કેમ દર્દીઓને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા નથી એવા સવાલો પણ કર્યા હતા.ડે.સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓને ૧૦૮ની સેવા મળે છે. આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી. દર્દીઓને ઝડપથી હોસ્પિટલમાં ખસેડી શકાય તે માટે અહીં કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે. અહીં ૨૪ કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ દર્દીને કઈ હોસ્પિટલમાં મોકલવો તેના અંગે મૂંઝણવ થતી હતી. આ અંગે અહીંથી તમામ આયોજન થઈ રહ્યું છે. આ ઉપરાંત જે દર્દીને દાખલ કરવાની જરૂર ન હોય તેમને અહીંથી દવા અંગે માહિતી આપામાં આવે છે.

સમાચાર