માનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણા

પ્રારુતાવિક

કેમ કે માનવકુટુંબના દરેક સભ્યની પરંપરા-પ્રાપ્ત પ્રતિષ્ઠાને અને સમાન અને અસંકામ્ય અધિકારોને માન્યતા આપવી એ જગતની સ્વતંત્રતા, ન્યાય અને શાંતિનો પાયા છે,
કેમ કે માનવ અધિકારોની ઉપેક્ષા અને અપમાન કરવાથી એવાં જંગલી કત્યો પરિણમ્યાં છે કે જેણે માનવજાતના અંતઃકરણમાં બળવો જગવ્યો છે અને સામાન્ય લોકોની ઊંચામાં ઊંચી મહત્ત્વાકાંક્ષા તરીકે એવી દુનિયાના આગમનની જાહેરાત કરવામાં આવી છે, જેમાં માનવો વાણી અને વિચારની સ્વતંત્રતા ભોગવશે અને ભય તથા અછતમાંથી મુકિત મેળવશે,
કેમ કે જો માણસને આખરી ઉપાય તરીકે જુલમ અને અત્યાચાર સામે બળવો પોકારવાનો આશ્રય લેવાનું દબાણ કરાવવું ન હોય તો કાયદાની સત્તા દ્વારા માનવ અધિકારોને રક્ષણ આપવું જોઇએ,
કેમ કે રાષ્ટ્રો વચ્ચે મૈત્રીસંબંધોનો વિકાસ બઢાવવાનું જરૂરી છે,
કેમ કે સંયુકત રાષ્ટ્રોના લોકોએ ખતપત્રમાં મૂળભૂત માનવ અધિકારોમાં માનવીની પ્રતિષ્ઠા અને મૂલ્યમાં અને સ્રીપુરુષોના સમાન અધિકારોમાં તેમની શ્રદ્ધા પુનઃ સ્થાપિત કરી છે અને વિશાળતર સ્વાતંત્ર્યમાં સામાજિક પ્રગતિ અને ઉચ્ચ જીવનધોરણ બઢાવવાનો નિશ્ચય કર્યો છે,
કેમ કે સભ્ય રાજ્યોએ સંયુકત રાષ્ટ્રોના સહકારમાં માનવ અધિકારોના અને મૂળભૂત સ્વતંત્રતાઓના વિશ્વવ્યાપી માનમાં વૃદ્ધિ કરવાની અને તેનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી છે,
કેમ કે આ પ્રતિજ્ઞાની સંપૂર્ણ સિદ્ધિ માટે આવા અધિકારો અને સ્વતંત્રતાઓની સામાન્ય સમજણ હોવી એ ખૂબ જ મહત્ત્વનું છે,
એટલે હવે,
સામાન્ય સભા
સર્વ ભોકો અને રાષ્ટ્રો માટે સિદ્ધિના સામાન્ય ધોરણ તરીકે માનવ અધિકારોની આ વિશ્વવ્યાપી ઘોષણાની એવા હેતુથી જાહેરાત કરે છે, કે દરેક વ્યક્તિ અને સમાજનું દરેક અંગ, આ ઘોષણાને સતત ધ્યાનમાં રાખીને ઉપદેશ અને શિક્ષણ દ્વારા આ અધિકારો અને સ્વતંત્રતાઓ માટે માનની લાગણી પ્રગટઃવવા અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રગતિશીલ ઉપાયો દ્વારા, સભ્ય રાજ્યોના લોકોમાં તેમજ તેમની હકુમત હેઠળના પ્રદેશોમાંના લોકોમાં તેનો સર્વસામાન્ય અને અસરકારક સ્વીકાર અને પાલન કરાવવા માટે પ્રયત્ન કરશે.

અનુચ્છેદ ૧:
પ્રતિષ્ઠા અને અધિકારોની દષ્ટિએ સર્વ માનવો જન્મથી સ્વતંત્ર અને સમાન હોય છે. તેમનામાં વિચારશકિત અને અંતઃકરણ હોય છે અને તેમણે પરસ્પર બંધુત્વની ભાવનાથી વર્તવું જોઇએ.

અનુચ્છેદ ૨:
દરેક વ્યક્તિને જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મે, રાજકીય અથવા બીજા અભિપ્રાય, રાષ્ટ્રીય અથવા સામાજિક ઉદ્ભવસ્થાન, મિલકત, જન્મ અથવા મોભા જેવા કોઇપણ જાતના ભેદભાવ વગર આ ધોષણામાં રજૂ કરવામાં આવેલા સધળા અધિકારો અને સ્વતંત્રતા ભોગવવાનો હક્ક છે.
વધુમાં કોઇપણ વ્યક્તિ તે સ્વતંત્ર, ટ્રસ્ટ હેઠળના સ્વશાસન હેઠળ ન હોય તેવા અથવા સાર્વભામત્વની બીજી કોઇપણ મર્યાદા હેઠળ આવેલા દેશ અથવા પ્રદેશની હોય તો પણ રાજકીય, હફમવવિષયક અથવા આંતરરાષ્ટ્રીય મોભાના ધોરણે તેની સાથે કોઇપણ ભેદભાવ રાખવામાં આવશે નહિ.

અનુચ્છેદ ૩:
દરેક વ્યક્તિને જીવવાનો, સ્વતંત્રતાનો અને સ્વરક્ષણનો અધિકાર છે.

અનુચ્છેદ ૪:
કોઇને પણ ગુલામી અથવા પરાધીન દશામાં રાખવામાં આવશે નહિ; દરેક પ્રકારની ગુલામી અને ગુલામોના વેપાર પર પ્રતિબંધ મૃકવામાં આવશે.

અનુચ્છેદ ૫:
કોઇપણ વ્યક્તિની ઉપર જુલમ ગુજારવામાં આવશે નહિ અથવા તેની સાથે ધાતકી, અમાનુષી અથવા હલકા પ્રકારનો વર્તાવ રાખવામાં આવશે નહિ અથવા તેવા પ્રકારની શિક્ષા કરવામાં આવશે નહિ.

અનુચ્છેદ ૬:
દરેક વ્યક્તિને દરેક હેકાણે કાયદાની સમક્ષ માનવ તરીકે સ્વીકાર કરાવવાનો અધિકાર છે.

અનુચ્છેદ ૭:
કાયદા સમક્ષ સર્વ માણસો સમાન છે અને કોઇપણ જાતના ભેદભાવ વગર કાયદાનું રક્ષણ સમાન ધોરણે મેળવવાને હક્કદાર છે. આ ધોષણાનો ભંગકરીને કોઇપણ જાતના ભેદભાવ સામે અને આવા ભેદભાવ જગાવવામાં, કોઇપણ જાતની ઉશ્કેરણી કરવા સામે સમાન રક્ષણ મેળવવાનો સર્વને હક્ક છે.

અનુચ્છેદ ૮:
દરેક વ્યક્તિને સંવિધાન અથવા કાયદા દ્વારા તેને મળેલા મૂળભૂત અધિકારોનો ભંગ કરતા કૃત્યો માટે સક્ષમ રાષ્ટ્રીય ન્યાયાધિકરણ દ્વારા અસરકારક ઉપાયો લેવાનો હક્ક છે.

અનુચ્છેદ ૯:
કોઇપણ વ્યક્તિને આપખુદ રીતે ગિરફતાર કરવામાં, અટકઃયતમાં રાખવામાં અથવા દેશનિકાલ કરવામાં આવશે નહિ.

અનુચ્છેદ ૧૦:
દરેક વ્યક્તિને પોતાના અધિકારો અને બંધનોના અને તેની વિરુદ્ધ કોઇપણ ફોજદારી આરોપના નિર્ણયમાં કોઇ સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયાધિકરણ દ્વારા વ્યાજબી અને જાહેર સુનાવણી કરાવવાનો સંપૂર્ણ સમાન ધોરણે અધિકાર છે.

અનુચ્છેદ ૧૧:
(૧) જેની ઉપર ફોજદારી ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો હોય તેવી દરેક વ્યક્તિને ગુનાની જાહેર તપાસણી વખતે તેના બચાવ માટે સધળી જરૂરી બાંયધરીઓ આપવામાં આવી હોય છે. કાયદા પ્રમાણે ગુનેગાર સાબીત થાય ત્યાં સુંધી પોતાને નિર્દોષ માનવાનો અધિકાર છે.
(૨) કોઇપણ વ્યક્તિ, કોઇપણ કૃત્ય અથવા કસૂર જે વખતે કરી હોય અથવા થઇ હોય તે વખતે રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય કાયદા

માનવ અધિકાર