પ્રધાનમંત્રીએ ભારતીય રેલવે દ્વારા જમ્મુ-કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા બ્રિજ ચેનાબ બ્રિજના આર્ક ક્લોઝરનું કાર્ય સંપન્ન થવા માટે પ્રશંસા કરી હતી.પ્રધાનમંત્રી શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યું કે દેશવાસીઓની ક્ષમતા અને વિશ્વાસ દુનિયાની સામે એક ઉદાહરણ રજૂ કરે છે. નિર્માણની આ સિદ્ધિ માત્ર આધુનિક એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતની વધતી પ્રગતિને જ પ્રદર્શિત કરતી નથી પરંતુ આ ‘સંકલ્પ સે સિદ્ધિ’ના લોકાચાર દ્વારા ચિહ્નિત કાર્ય સંસ્કૃતિને બદલવાનું પણ એક ઉદાહરણ છે.’



