ગુજરાત માં પ્રખ્યાત માધવ ગ્રુપ દ્વારા માધવ એજ્યુકેશન કૈમ્પસ,વસ્ત્રાલ,અમદાવાદ ખાતે ગુરુઓની પૂજા અર્ચના કરી ધૂમધામ થી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવ્યું. ગુરુપૂર્ણિમાના આ પાવન પર્વ પર ગુરુઓ માટે જમણવાર ની વ્યવસ્થા પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે માધવ ગ્રૂપના ટ્રસ્ટી એવા મોતીભાઈ પ્રજાપતિ, ભગવાનભાઈ પ્રજાપતિ અને કાંતિભાઈ પ્રજાપતિ તેમજ સમગ્ર પ્રજાપતિ પરિવાર ઉપસ્થિત રહયુ હતું, શિક્ષણ તેમજ સમાજકાર્ય માટે જાણીતા મોતીભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે મારા શિક્ષકો અમારા માટે એમ્પ્લોઈ નહીં,પણ અમારું પરિવાર છે.અને અમે ફકત ગુરુપૂર્ણિમા જ નહીં પણ દરેક પર્વ પરિવાર ની જેમ હળીમળીને ઉજવીયે છીએ.હું એવા બધાજ ગુરુઓને નમન કરું છું જેમણે સમાજ અને દેશ ના વિકાસ માટે પોતાનું સર્વોચ્ચ અર્પણ કર્યું છે.
રિપોર્ટ રાકેશ ક્ષત્રિય, અમદાવાદ



