
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અહેમદ પટેલના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે. એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે “અહેમદ પટેલ જીના અવસાનથી દુ:ખ થયું. તેમણે જાહેર જીવનમાં વર્ષો પસાર કર્યા, સમાજની સેવા કરી. તેમની તીક્ષ્ણ સૂઝ માટે જાણીતા હતા. કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા હંમેશા યાદ રહેશે. તેમના પુત્ર ફૈઝલ સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો. અહેમદભાઇના આત્માને શાંતિ મળે. “
