નડિયાદના વૈશાલીબેન તડવીને છત્રી મળવાથી ખુશખુશાલ

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સરકાર જ નાના અને ગરીબ વ્‍યક્તિઓના લાભાર્થે આવા નિર્ણયો લઇ શકે

સાત પગલાં ખેડૂત કલ્‍યાણના અંતર્ગત ફળ, ફૂલ અને શાકભાજીના વેચાણકારોને વિના મૂલ્‍યે છત્રી વિતરણની યોજના અમલમાં મૂકવામાં આવી છે તેના અનુસંધાને આજે નડિયાદ શાક માર્કેટમાં છુટક શાકભાજીનો વ્‍યવસાય કરતા શ્રીમતી વૈશાલીબેન તડવીએ જણાવ્‍યું હતું કે, હું અને મારા પતિ સાથે મળીને લીંબુનો ઘંઘો કરીએ છીએ. આ વ્‍યવસાયમાં ઠંડીની ઋતુમાં તો બહુ ખાસ વાંધો આવતો નથી પરંતુ ઉનાળો અને ચોમાસુના ઋતુમાં ખુબ મોટી મૂશ્‍કેલ પડતી હતી. આ બંને ઋતુમાં ખૂબજ ગરમી અને વરસાદથી હેરાન થતા હતા. પરંતુ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સરકાર જ અમારા જેવા નાના અને ગરીબ વ્‍યક્તિઓના લાભાર્થે આવા નિર્ણય લઇ શકે તેઓએ અમારા જેવા નાના વ્‍યવસાયકારોની ચિંતા કરીને અમોને આ ઋતુમાં રક્ષણ મળે અમારો વ્‍યવસાય તબિયત બગાડ્યા વગર કરી શકીએ અને વેચાણ માટે લાવેલ માલનો બગાડ થતો અટકે તેવો ખુબજ ઉપયોગી નિર્ણય લઇ અમોને છત્રી નિશુઃલ્‍ક આપેલ છે તે માટે હું અને મારા જેવા નાના લાભાર્થીઓ આ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીસાહેબ, અમારા ધારાસભ્યશ્રી પંકજભાઇ દેસાઇ સાહેબ અને સરકારનો ખુબ ખુબ આભાર વ્‍યકત કરીએ છીએ.

સમાચાર