સેવા વ્રતધારી, કર્મ વિરાંગના જીજ્ઞાબહેન શેઠ
આર્ટીકલ

સેવા વ્રતધારી, કર્મ વિરાંગના જીજ્ઞાબહેન શેઠ

માણસ દિવસેને દિવસે કળિયુગના પ્રભાવમાં અંધ બનતો જાય છે.આધુનિકતા તરફ દોટ મુકતો માણસ સ્વાર્થી અને સંકુચિત થતો જાય છે.સમગ્ર વિશ્વ પર આવેલ કોરોના મહામારીમાં માણસના બે રૂપ જોવા મળ્યા.એક પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી લોકોને લૂંટાવા મજબૂર…

ડૉ. ભૈરવી જોષી, વલસાડ રેસર્સ ગ્રૂપ અને ત્રયમ ફાઉન્‍ડેશનના સંયુક્‍ત પ્રયાસોથી વલસાડમાં MYBYK સાયકલ શેરિંગ અને રેન્‍ટિંગ પ્રોગ્રામ શરૂ
પર્યાવરણ સમાચાર

ડૉ. ભૈરવી જોષી, વલસાડ રેસર્સ ગ્રૂપ અને ત્રયમ ફાઉન્‍ડેશનના સંયુક્‍ત પ્રયાસોથી વલસાડમાં MYBYK સાયકલ શેરિંગ અને રેન્‍ટિંગ પ્રોગ્રામ શરૂ

સાયકલિંગ એ મુસાફરીનો એક ટકાઉ, સ્‍વસ્‍થ અને સસ્‍તો માધ્‍યમ છે. વધુ પડતા ટ્રાફિક, ભીડ અને ઉચ્‍ચ પ્રદૂષણ સ્‍તરમાં ટૂંકી મુસાફરી માટે સાઇકલનો ઉપયોગ કરવો મહત્ત્વપૂર્ણ છે. ડૉ. ભૈરવી જોષી છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર ભારતમાં ટકાઉ…

ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય પ્રશિક્ષણ વિભાગ તેમજ પ્રદેશ નેતૃત્વ ના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ શ્રી સી.આર .પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત અને તાપી જિલ્લાનો ત્રી દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો છે. જેમાં સુરત જિલ્લાના અપેક્ષિત 175 પ્રશિક્ષકો એ ઉત્સાહ પૂર્વક હાજરી આપી હતી
સમાચાર

ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય પ્રશિક્ષણ વિભાગ તેમજ પ્રદેશ નેતૃત્વ ના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ શ્રી સી.આર .પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત અને તાપી જિલ્લાનો ત્રી દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો છે. જેમાં સુરત જિલ્લાના અપેક્ષિત 175 પ્રશિક્ષકો એ ઉત્સાહ પૂર્વક હાજરી આપી હતી

સુરત જિલ્લા ભાજપ પ્રભારી ભરતભાઇ રાઠોડ,દક્ષિણ ઝોન પ્રશિક્ષણ પ્રભારી પ્રફફૂલભાઈ પાનસૂરિયા, અશોકભાઈ ધોરજીયા,પાર્ટી પ્રમુખ સંદીપભાઈ દેસાઈ,મહામંત્રીઓ યોગેશભાઈ, જગદીશભાઈ, દીપકભાઈ,સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ,પ્રદેશ કારોબારી સભ્ય માનસિંહભાઈ પટેલ,નરેશભાઈ પટેલ,ધારાસભ્ય શ્રીઓ ઈશ્વરભાઈ પરમાર,મોહનભાઇ ધોડિયા,વગેરે વક્તાઓએ સંઘનાત્મક…

‘પ્રધાનમંત્રી વનધન વિકાસ યોજના’ વન વિસ્તારના લોકોને બારમાસી રોજગારીની તક પુરી પાડશે – નાયબ વન સંરક્ષક શ્રી અગ્નિશ્વર વ્યાસ
સમાચાર

‘પ્રધાનમંત્રી વનધન વિકાસ યોજના’ વન વિસ્તારના લોકોને બારમાસી રોજગારીની તક પુરી પાડશે – નાયબ વન સંરક્ષક શ્રી અગ્નિશ્વર વ્યાસ

વન વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ, અને બેંકના સહયોગથી ગૌણ વન પેદાશોના મૂલ્યવર્ધિત ઉત્પાદનથી વનપ્રદેશના લોકોનો આર્થિક ઉત્કર્ષ થશે ‘પ્રધાનમંત્રી વનધન વિકાસ યોજના’ વનપેદાશોના મૂલ્યવર્ધિત ઉત્પાદનથી, વનવાસી પ્રજાજનો માટે આર્થિક ઉન્નતિના દ્વાર ખોલશે, તેમ ઉત્તર ડાંગ…

કોઈ પણ રાજ્ય કે રાષ્ટ્રના વિકાસમાં આર્કિટેક્ટ –એન્જિનિયરનું અનોખું મહત્વ – મુખ્યમંત્રીશ્રી
બ્રેકીંગ ન્યૂઝ

કોઈ પણ રાજ્ય કે રાષ્ટ્રના વિકાસમાં આર્કિટેક્ટ –એન્જિનિયરનું અનોખું મહત્વ – મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના બોડકદેવના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ધ ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર એન્ડ આર્કિટેક્ના હિરક મહોત્સવ પ્રસંગે સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના વિચારને મૂર્તિમંત કરવા…

“ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022” દ્વારા અમદાવાદના સરદાર ધામ ખાતે આયોજિત પ્રમોશનલ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી વ્યક્ત કરી હતી.
માનવ અધિકાર

“ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022” દ્વારા અમદાવાદના સરદાર ધામ ખાતે આયોજિત પ્રમોશનલ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી વ્યક્ત કરી હતી.

સમાજ નિર્માણ થી રાષ્ટ્રનિર્માણ નો સંકલ્પ કરીએ:- રાજ્યપાલ શ્રી રાજ્યપાલશ્રીએ સરદાર વલ્લભભાઈ પટેલના ભારતને એકસૂત્ર કરવાના યોગદાનને યાદ  કરતા જણાવ્યું હતું કે, સરદાર પટેલે આઝાદી પછી 562 જેટલા દેશી રજવાડા ઓને એક કરીને ભારતને સંપૂર્ણ…

હવે કોનો વારો?કલેક્ટરેટમા ચિંતા
બ્રેકીંગ ન્યૂઝ

હવે કોનો વારો?કલેક્ટરેટમા ચિંતા

ACB એ પકડતા રડી પડ્યો ચેતન ઉપાધ્યાય...."જાવા દો ને સાયબ...".ની કાકલુદી .......અગાઉ પણ આ લાંચીયો ઝડપાયો તો....તો પણ શીખામણ ન લીધી......સતત બે બે વખત ઝડપાયા નો રેવન્યુ કર્મચારી તરીકેનો રેકોર્ડ આજે રજાના દિવસે કામઢો ગણાતો…

લોક રક્ષક દળની 10459 જગ્યા માટે ભરતી પ્રક્રિયા 9 નવેમ્બર પહેલાં કરી દો એપ્લાય.
સમાચાર

લોક રક્ષક દળની 10459 જગ્યા માટે ભરતી પ્રક્રિયા 9 નવેમ્બર પહેલાં કરી દો એપ્લાય.

ગુજરાત પોલીસ દળના લોક રક્ષક દળમાં 10459 જગ્યા માટે શનીવારથી ભરતી પ્રક્રિયાનો શુભારંભ થઈ ગયો છે.ગુજરાત લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા લોક રક્ષક દળમાં 10459 જગ્યા માટે ભરતી પ્રક્રિયા શરુ કરી છે.ojas વેબ સાઈટ પર…

રાષ્ટ્રીય ગતિ શક્તિ પ્રોજેક્ટ હેઠળ દેશના બંદરો ઉપર માળખાગત સુવિધાઓ વિકસાવવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ
સમાચાર

રાષ્ટ્રીય ગતિ શક્તિ પ્રોજેક્ટ હેઠળ દેશના બંદરો ઉપર માળખાગત સુવિધાઓ વિકસાવવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ

દીનદયાળ પોર્ટ કંડલા મધ્યે 277 કરોડના ખર્ચે કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલના હસ્તે વિવિધ વિકાસ પરિયોજનાનું ખાતમુર્હુત કેન્દ્રીય જહાજ, બંદર અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, દેશના જળમાર્ગોની માળખાકીય સુવિધાઓ વધારી બંદરીય વ્યાપાર ક્ષેત્રના…

ગતિ શક્તિ માસ્ટર પ્લાન માળખાકીય સુવિધાઓના વિકાસને વેગવાન બનાવશે: શ્રી સર્બાનંદ સોનોવાલ
બ્રેકીંગ ન્યૂઝ

ગતિ શક્તિ માસ્ટર પ્લાન માળખાકીય સુવિધાઓના વિકાસને વેગવાન બનાવશે: શ્રી સર્બાનંદ સોનોવાલ

વિશ્વ કક્ષાના અવરોધરહિત મલ્ટિમોડલ પરિવહન નેટવર્કના નિર્માણમાં તાલમેલ લાવશે: શ્રી સોનોવાલ આદરણીય કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ તેમજ આયુષ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે સોમવારે દીનદયાળ બંદર ટ્રસ્ટના વેપાર ભાગીદારો સાથે સંવાદ સત્ર દરમિયાન સંબોધન કરતી વખતે બંદરોની આગેવાની હેઠળ વિકાસ અને તાજેતરમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન હેઠળ વધુ માળખાકીય સુવિધાઓના સર્જનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે ગતિ શક્તિ કાર્યક્રમ વિભાગો દ્વારા એકલા કામ કરવાની રૂઢીગત કાર્યશૈલીને તોડવા માટે નિર્ણય લેવાની પ્રક્રિયામાં આમૂલ પરિવર્તનને ચિહ્નિત કરે છે. પ્રસ્તાવિત પ્લાનમાં, હાલમાં અસ્તિત્વમાં રહેલા તેમજ સૂચિત તમામ ઇકોનોમિક ઝોનનું મલ્ટિમોડેલ કનેક્ટિવિટી માળખાકીય સુવિધાઓ સાથે એક જ પ્લેટફોર્મ પર મેપિંગ કરવામાં આવ્યું છે. વિવિધ મંત્રાલયોની વ્યક્તિગત પરિયોજનાઓનું પરીક્ષણ કરવામાં આવશે અને એકંદરે પ્લાન દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા માપદંડોમાં રહીને ભવિષ્યમાં તેને મંજૂરી આપવામાં આવશે, જેના કારણે પ્રયાસો વચ્ચે તાલમેલ બેસાડી શકાશે. ભારતમાં વિશ્વ કક્ષાનું, અવરોધરહિત મલ્ટિમોડલ પરિવહન નેટવર્કનું નિર્માણ કરવામાં ગતિ શક્તિ માસ્ટર પ્લાન તાલમેલ લાવશે. રાષ્ટ્રીય માસ્ટર પ્લાન માળખાકીય સુવિધાઓના સંકલિત આયોજન માટે આધુનિક ટેકનોલોજી અને અદ્યતન IT સાધનોને અમલમાં મૂકશે. પૂરાવા આધારિત નિર્ણયો લેવા માટે 200 કરતાં વધારે સ્તરો સાથેની GIS આધારિત ઉદ્યોગ સંસાધન આયોજન પ્રણાલી આનું એક ઉદાહરણ છે. દેખરેખ રાખવા માટે ઉપગ્રહોની તસવીરોનો ઉપયોગ અન્ય એક ઉદાહરણ પૂરું પાડે છે. સમયસર મંજૂરીઓ અને સંભવિત સમસ્યાઓના ફ્લેગિંગની ખાતરી કરવામાં તેમજ પરિયોજના પર દેખરેખ રાખવામાં ડિજિટાઇઝેશન ખૂબ જ મોટી ભૂમિકા નિભાવશે. કાર્યદક્ષ લોજિસ્ટિક નેટવર્ક એક આવશ્યક સ્થિતિ છે. અન્ય એક જરૂરી સ્થિતિ, વિનિર્માણ ક્ષેત્રમાં આર્થિક વ્યાપકતા પ્રાપ્ત કરવાની છે. ઔદ્યોગિક પાર્કો અને લોજિસ્ટિક પાર્કોનું કદ વૈશ્વિક સ્પર્ધાત્મકતાના સ્તર સુધી વધારવાની જરૂર છે. રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ સંગઠન (NICDC), જે અગાઉ DMIDC તરીકે ઓળખાતું હતું, તે આવા ઔદ્યોગિક કોરિડોર્સનો વિકાસ કરવા માટે રાજ્ય સરકારો સાથે ઘનિષ્ઠ સંકલન સ્થાપિત કરીને કામ કરશે. સૌની સહિયારી દૂરંદેશી સાથે પરિયોજનાઓની ડિઝાઇન અને અમલીકરણ કરવામાં આવશે અને વિવિધ મંત્રાલયો તેમજ રાજ્ય સરકારોની માળખાકીય સુવિધા યોજનાઓ જેમકે, ભારતમાલા માર્ગ પરિયોજના, સાગરમાલા જળમાર્ગ યોજના, બંદરો અને ઉડાન યોજના વગેરેને સામેલ કરવામાં આવશે. શ્રી સોનોવાલે વધુમાં વેપારજગત દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ મુદ્દાઓ ધ્યાનમાં લીધા હતા અને બંદરોની કામગીરી તેમજ લોજિસ્ટિક યોજનાઓની અન્ય લિંક્સમાં સામેલ વિવિધ એજન્સીઓ વચ્ચે અસરકારક ભાગીદારી પર વિશેષ ભાર મૂક્યો હતો. આદરણીય મંત્રીશ્રીએ દીનદયાળ બંદર ટ્રસ્ટ દ્વારા જહાજોના ટર્ન અરાઉન્ડ ટાઇમ (TAT)માં ઘટાડો કરવા માટે MoSPWના માર્ગદર્શન હેઠળ માળખાકીય સુવિધાઓનું સર્જન કરવા માટે હાથ ધરવામાં આવેલા વિવિધ સાહસો પર પણ પ્રકાશ પાડ્યો હતો અને ઇ-દૃષ્ટિ, RFID આધારિત ઍક્સેસ નિયંત્રણ પ્રણાલી, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ (EoDB)નું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે DPT દ્વારા અમલમાં મૂકમાં આવેલી ક્લાઉડ આધારિત ERPના અમલીકરણ જેવી વિવિધ પરિયોજનાઓનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.